રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા24 સપ્ટેમ્બર, 2025| Super Admin

કાંકરેજ તાલુકાનું વિભાજન કરી બે નવા તાલુકા જાહેર થતાં કાંકરેજની પ્રજામાં હર્ષોલ્લાસ

કાંકરેજ તાલુકાનું વિભાજન કરી બે નવા તાલુકા જાહેર થતાં કાંકરેજની પ્રજામાં હર્ષોલ્લાસ

બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો અલગ કરવાની જાહેરાત ડિસેમ્બર 2024 માં કરવામાં આવી હતી. ત્યારે કાંકરેજ તાલુકા પ્રજા એ એજ દિવસે શિહોરીના લોકો તેમજ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને બજારમાં રેલી નીકળી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને કાંકરેજ તાલુકા ને બનાસકાંઠા મા રાખવા માંગણી કરી હતી. બીજા જ દિવસે થરા શિહોરી કંબોઇની બજારો બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને કાંકરેજને બનાસકાંઠામાં રાખવા માંગ કરી હતી. ત્યારબાદ કાંકરેજને બનાસકાંઠામાં રાખવામાં આવેલ અને થરા .વિસ્તારના વેપારીઓ અને પ્રજાને થરા તરફથી શિહોરી માં સરકારી કામકાજ માટે તાલુકા મથક શિહોરી દૂર પડતું હોવાની અને થરાને તાલુકા મથકની દરજો આપવા રજૂઆત કરવામાં આવેલ. અને થરા તાલુકાનો દરજ્જો આપવા સરકાર પાસે માંગણી કરી હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજ રોજ તાલુકાના વિભાજનની જાહેરાત કરવામાં આવતા કાંકરેજમાંથી એક તાલુકો અલગ કરવામાં આવ્યો છે. જેનુ નામ ઓગડ નામ આપવામાં આવ્યું છે જેથી લોકોમા ખુશી જોવા મળી રહી છે. કારણ કે થરા બાજુના ગામોના લોકોને શિહોરી ચાલીસ કિલોમીટરનુ અંતર થતું તે અંતર ઘટી જશે ત્યારે ઓગડ તાલુકાનુ મુખ્ય મથક થરા અથવા દરેક સમાજના આસ્થાનું કેન્દ્ર ઓગડ જાગીર મઠ ખાતે રાખવામાં આવે તો ખુબ સરસ જગ્યા છે. અને આમ કાંકરેજ તાલુકામાંથી બે તાલુકા બનતા બંને તાલુકાની પ્રજામાં આનંદની લાગણી છવાઈ છે.    

સંબંધિત સમાચાર