રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા20 જુલાઈ, 2025| Super Admin

ભરતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ

ભરતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ

થરાદ અમદાવાદ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીનોનું સંપાદન કર્યા બાદ તેનું યોગ્ય વળતર ન અપાતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે તેમજ વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ સાથે કાંકરેજ, દીઓદર અને થરાદ તાલુકાના ખેડૂતોએ દીઓદરના સણદર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે એકઠા થઇ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. ખેડૂતો દ્વારા નવી જંત્રી મુજબ યોગ્ય વળતર આપવામાં આવે અને એક સામાન વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૨૦૧૧ મુજબ જૂનો ભાવ લેવામાં આવ્યો છે તે ભાવ હાલના ભાવથી ઘણો નીચો છે. જયારે બિન ખેતીનો ભાવ ઘણો ઊંચો આપવામાં આવ્યો છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. આજના બજાર ભાવ મુજબ ભાવ નક્કી કરી વળતર ચૂકવવું જોઈએ.ખેતી અને બિનખેતી બન્નેનો એકજ ભાવ આપવો અને નુકસાનગ્રસ્ત ખેડૂત તથા પરિવાર માટે પુનઃ વસવાટ અને આજીવિકાના વિકલ્પો ઉભા કરવા અને નવી જંત્રી મુજબના અને મકાન, વૃક્ષ, ટયુબવેલ સાથેના એવોર્ડ આપવામાં આવે તેવી માંગ કરી જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો અગાઉના સમયમાં ઊગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી.

સંબંધિત સમાચાર