થરાદ અમદાવાદ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીનોનું સંપાદન કર્યા બાદ તેનું યોગ્ય વળતર ન અપાતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે તેમજ વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ સાથે કાંકરેજ, દીઓદર અને થરાદ તાલુકાના ખેડૂતોએ દીઓદરના સણદર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે એકઠા થઇ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. ખેડૂતો દ્વારા નવી જંત્રી મુજબ યોગ્ય વળતર આપવામાં આવે અને એક સામાન વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૨૦૧૧ મુજબ જૂનો ભાવ લેવામાં આવ્યો છે તે ભાવ હાલના ભાવથી ઘણો નીચો છે. જયારે બિન ખેતીનો ભાવ ઘણો ઊંચો આપવામાં આવ્યો છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. આજના બજાર ભાવ મુજબ ભાવ નક્કી કરી વળતર ચૂકવવું જોઈએ.ખેતી અને બિનખેતી બન્નેનો એકજ ભાવ આપવો અને નુકસાનગ્રસ્ત ખેડૂત તથા પરિવાર માટે પુનઃ વસવાટ અને આજીવિકાના વિકલ્પો ઉભા કરવા અને નવી જંત્રી મુજબના અને મકાન, વૃક્ષ, ટયુબવેલ સાથેના એવોર્ડ આપવામાં આવે તેવી માંગ કરી જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો અગાઉના સમયમાં ઊગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી.
બનાસકાંઠા20 જુલાઈ, 2025
ભરતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ

ટેગ્સ:#Land acquisition#government policy#Kankrej Taluka#Tharad Taluka#Agricultural Policy#Farmer Protests#Deodar Taluka#Farmer Compensation#Bharatmala Project#Land Rights#Livelihood Support#Non-Agricultural Land#Market Price Adjustments#Resettlement Issues
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
17 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
