એચએમપીવી વાઇરસનો કેસ અમદાવાદ સિવિલમાં આવ્યા બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે અને ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. ત્યારે હિંમતનગર સિવિલમાં પણ આઇસોલેશન વોર્ડમાં 5 બેડ તૈયાર કરાયા છે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. આશિષ કટારકરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, HMPV એટલે હ્યુમન મેટાન્યુમો વાઇરસ. આ વાઇરસથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. માત્ર સાવચેતી જરૂરી છે. તો આ વાઇરસને લઈને હિંમતનગર સિવિલમાં તૈયારીના ભાગરૂપે સિવિલના ચોથા માળે 57 નંબરમાં આઇસોલેશન વોર્ડ બનાવેલો છે. જેમાં 14 બેડ પૈકી પાંચ બેડ તૈયાર કરાયા છે. હાલમાં રોજના અંદાજે સરેરાશ 1200 જેટલી ઓપીડી નોંધાય છે. તો ડિસેમ્બર માસમાં 24000 ઓપીડી નોંધાઈ હતી, જેમાં બાળકોના 1150, મેડિસિન 6500, ગાયનેક 1668, જનરલ સર્જરી 2000, ઇએનટી વિભાગના 1400, કેજ્યુએલટીના 3300 જેટલા અંદાજે કેસો નોંધાય હતા. ત્યારે હાલ સુધી કોઈ કેસ આ સિવિલમાં નોંધાયો નથી. તો આ પરિસ્થિતિ સામે સિવિલ હોસ્પિટલ તૈયાર છે.
એચએમપીવી વાયરસ : સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં પાંચ બેડ તૈયાર કરાયા

સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગર ખાતે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અંતર્ગત ક્લસ્ટર સ્તરીય 'કલા ઉત્સવ'નો પ્રારંભ
1 અઠવાડિયા પહેલા
