રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા22 ઑગસ્ટ, 2025| Super Admin

શિહોરી ખાતે ગુજરાત ઓ.બી.સી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું

શિહોરી ખાતે ગુજરાત ઓ.બી.સી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ રોડ ઉપર આવેલ કામધેનુ કોમ્પલેક્ષ ખાતે ગુજરાત ઓ.બી.સી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ તારક ઠાકોરની આગેવાની હેઠળ મિટિંગ યોજાઈ હતી. જેમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોર લલિતસિંહ વાઘેલા તેમજ ઓબીસી સમાજના સરપંચો સહિત મોટી સંખ્યામાં સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી મેઈન બજાર થઈ ને રેલી કાંકરેજ મામલતદાર કચેરીમાં પહોંચી હતી અને સરકાર દ્વારા ઓબીસી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કાંકરેજ તાલુકા ધારાસભ્ય અને તારક ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧૪૬ જેટલા સમાજો ઓબીસી માં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં માત્ર ૨૦ જેટલા સમૃધ્ધ સમાજો લાભ લઈ રહ્યા છે. ત્યારે હવે એમની સંખ્યા ૨૦ ટકા જેટલી પણ નથી પરંતુ ૮૦ ટકા સીટ લે છે. ત્યારે હવે બીજી તરફ ઠાકોર કોળી વણઝારા નાયી દેવીપૂજક ગોસ્વામી જેવા ૧૦૦ જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ થયો છે છતાંય આજ સુધી વંચિત રહ્યા છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ તાલુકા નાયબ મામલતદારને રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે હવે ગુજરાતમાં પણ અમલી કરવામાં આવે તેવી માંગ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતી દ્વારા કરવામાં આવેલ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર