રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા9 મે, 2026| Super Admin

બનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર

બનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર

દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલથી 3600 એકર વિસ્તારમાં ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચશે; ફુવારા અને ટપક પદ્ધતિને વેગ મળશે

વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના અથાક પ્રયાસો થકી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીમાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ થાય અને ખેડૂતોની આવક બમણી થાય તેવા ઉમદા આશય સાથે રૂ. 67 કરોડના ખર્ચવાળા પ્રેસરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ (PINS) પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.માઇક્રો ઇરિગેશન (PINS) માટેનો આ ગુજરાતનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ બનશે.

દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ આધારિત આ યોજનાથી આશરે 3600 એકર વિસ્તારને સીધો સિંચાઈનો લાભ મળશે.આ પ્રોજેક્ટ અંતર્ગત સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે, જેનાથી ખેડૂતો સરળતાથી ફુવારા અને ટપક પદ્ધતિ અપનાવી શકશે.​આ પ્રોજેક્ટ મંજૂર થવાથી ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરાગત સિંચાઈ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો હતો, જેની સામે હવે આધુનિક 'પિન્સ' (PINS) ટેકનોલોજીથી ઓછા પાણીએ વધુ પાક લઈ શકાશે. આનાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે અને મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ બનાસકાંઠાના ખેડૂતો વતી મુખ્યમંત્રી તથા સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર