- હોમ
- /Uncategorized
- /ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ના-છૂટકે નીચા ભાવે મગફળી વેચવા ખેડૂતો બન્યા મજબૂર
ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ના-છૂટકે નીચા ભાવે મગફળી વેચવા ખેડૂતો બન્યા મજબૂર

પાલનપુરમાં મગફળી ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ખેડૂતો ત્રસ્ત
બે દિવસમાં માત્ર 05 ખેડૂતોની 437 બોરીઓની ખરીદી કરાઈ
રાજ્ય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડ માં ગઈકાલે ટેકાના ભાવે મગફળી ખરીદી કર્યા બાદ આજે સિસ્ટમ ખોરવાતા મગફળીની ખરીદી બંધ રહી હતી. જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મગફળી નીચા ભાવે વેચવાનો વારો આવ્યો હતો.
રાજ્ય સરકારે મોટા ઉપાડે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ગતરોજ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જોકે, મગફળી ખરીદીના પ્રતિકાત્મક પ્રારંભ બાદ આજે બીજા જ દિવસે સિસ્ટમ ખોરવાતા ખરીદી બંધ રહી હતી. જોકે, સિસ્ટમ શરૂ થતાં જ ખેડૂતોને મેસેજ કરી જાણ કરાશે. જેથી આવતી કાલથી ખરીદી શરૂ થઈ જશે તેવું પાલનપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર દલસંગભાઈ પટેલે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર રૂ.1356.60 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી છે. પરંતુ પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીના પ્રારંભ બાદ બીજા જ દિવસે સિસ્ટમ બંધ થતાં ખેડૂતો મુશ્કેલી માં મુકાયા હતા. ખેડૂતોને ના-છૂટકે ખુલ્લી હરાજીમાં નીચા ભાવે મગફળી વેચી નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું ધુમ્મડ ગામના ખેડૂત રમેશભાઈ પરમારે જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
