રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા6 ઑગસ્ટ, 2025| Super Admin

અમીરગઢમાં ખાતરના ભાવ વધારો પાછો ખેંચવા અને બનાસ નદીમાં ખનન રોકવા ખેડૂતો દ્વારા આવેદનપત્ર

અમીરગઢમાં ખાતરના ભાવ વધારો પાછો ખેંચવા અને બનાસ નદીમાં ખનન રોકવા ખેડૂતો દ્વારા આવેદનપત્ર

ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતો એ ખાતર ના ભાવ વધારા તથા કુદરતી આફત થી થયેલ પાક ના નુકસાન ના સર્વે તથા બનાસ નદી માંથી થતા ખનન ને રોકવા માટે મામલતદાર ને રજુઆત કરી હતી. તાજેતરમાં આવેલી કુદરતી આફતને કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો. આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પરંતુ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો "જય જવાન જય કિસાન"ના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ખેડૂતોની મુખ્ય માગણીઓમાં ખાતરના ભાવમાં થયેલા ૨૦૦થી ૩૦૦ રૂપિયાના વધારાને પાછો ખેંચવાની માગ સામેલ છે. આ વિસ્તારમાં બટાકા જેવા પાકો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડે છે. વધેલા ભાવે ખાતર ખરીદવું ખેડૂતો માટે પોષાય તેમ નથી. ઉપરાંત, ખેડૂતોએ ટોલ ટેક્સમાં રાહત આપવાની માગણી કરી છે. તેમની માગ છે કે કેટલાક કિલોમીટરની મર્યાદામાં આવતા ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. બનાસ નદીમાં થતું અનધિકૃત ખનન રોકવા અને છેલ્લા નવ વર્ષથી પેન્ડિંગ હજારો અરજીઓનો રી-સર્વે કરાવવા જેવી માગણીઓ પણ કરવામાં આવી છે.ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર