રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા9 મે, 2026| Super Admin

વડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

વડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

વડગામ પંથકના ખેડૂતો પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે લાલઘૂમ થયા છે. વિવિધ મુદ્દા ઓને લઇ વડગામ તાલુકાના મગરવાડા ગામે કિસાન સંઘ અને ખેડૂતો વચ્ચે  બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગામડાઓના તળાવ ભરવા, બટાકામાં સબસીડી આપવા તેમજ બેંકોમાં ધિરાણ ભરવાના સમયે થતી હેરાનગતિ જેવા મુદ્દે ચર્ચા કરાઈ હતી. અને જો સરકાર આ પડતર મુદ્દાઓ ને લઇ યોગ્ય નિરાકરણ નહી લાવે તો ખેડૂતો એ અને કિસાન સંઘના આગેવાનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોની આજે મગરવાડા ખાતે બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં પડતર મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક માં ગામડાઓના તળાવ ભરવા, બટાકામાં સબસીડી આપવા તેમજ બેંકોમાં ધિરાણ ભરવાના સમયે થતી હેરાનગતિ જેવા મુદ્દાઓને લઇ બેઠક મા ચર્ચા કરાઈ હતી. ખેડૂતો અને કિસાન સંઘ ના આગેવાનો એ કહ્યું હતું કે, સરકાર દ્વારા તળાવ ભરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી પરંતુ તળાવ હજુ સુધી ભરાયા નથી હજુ સુધી ઘણા ગામડાઓમાં તળાવો ભરવા માટેની પાઇપલાઇન બાકી છે. બાજરીમા ટેકાનાં ભાવ જાહેર કરાય છે પરંતુ ખેડૂતો ને જાણ નથી કરાતી. બાજરીના ટેકાના ભાવ મા પણ નોંધણી તારીખ લંબાવવામાં આવે તેવી માંગ કરી હતી.

બટાકાના ભાવ તળિયે છે. ખેડુંતો ને નુકશાન થયું છે. ખેડૂતો આત્મ હત્યા કરે તેવી પરિસ્થિતિ છે. ભર ઉનાળે વડગામ પાલનપુર તાલુકાના ગામડાઓમાં પાણીની ગંભીર સમસ્યા છે. પાણીના તળ ઊંડા જતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વડગામ તાલુકાના બધા તળાવ નહી ભરાય તો ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. સરકાર ખેડૂતોના મુદ્દાઓને લઇ યોગ્ય નિર્ણય નહી કરે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી વડગામ તાલુકા કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઇ પટેલે ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર