રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા22 એપ્રિલ, 2026| Super Admin

ચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર

ચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર

સલ્ફેટ અને એન.પી.કે. ખાતરમાં 40% સુધીનો વધારો, ખેતી ખર્ચ વધતા ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની ગરમાહટ વચ્ચે ખેડૂતોને વધુ એક આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે. રાજ્યમાં રાસાયણિક ખાતરના ભાવોમાં અચાનક અને નોંધપાત્ર વધારો થતાં ખેડૂત વર્ગમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખેતી માટે આવશ્યક ખાતરના ભાવ વધવાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા ઉભી થઈ છે.

માહિતી મુજબ, એમોનિયા સલ્ફેટ ખાતરનો ભાવ અગાઉ 950 રૂપિયા હતો, જે હવે વધીને આશરે 1400 થી 1450 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એ જ રીતે એન.પી.કે. ખાતરનો ભાવ 1450 રૂપિયાથી સીધો વધીને 2250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વધારો લગભગ 40 ટકા જેટલો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે ખેડૂતો માટે મોટું બોજ સાબિત થઈ શકે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક બાજુ ખેતી માટેના તમામ ઇનપુટ ખર્ચ—જેમ કે બીજ, દવાઓ અને મજૂરીમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ પાકના યોગ્ય ભાવ મળતા નથી. આવી પરિસ્થિતિમાં ખાતરના ભાવમાં થયેલો વધારો ખેતીને વધુ મોંઘી અને જોખમી બનાવે છે.

સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, જો સરકાર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. તેઓએ ખાતરના ભાવ પર નિયંત્રણ લાવવા અને સહાય આપવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે. ચૂંટણીના સમયમાં થયેલા આ વધારાને લઈને રાજકીય સ્તરે પણ ચર્ચાઓ તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોને રાહત આપવા માટે શું પગલાં લે છે.

સંબંધિત સમાચાર