રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા22 એપ્રિલ, 2026| Super Admin

ચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર

ચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર

સલ્ફેટ અને એન.પી.કે. ખાતરમાં 40% સુધીનો વધારો, ખેતી ખર્ચ વધતા ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની ગરમાહટ વચ્ચે ખેડૂતોને વધુ એક આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે. રાજ્યમાં રાસાયણિક ખાતરના ભાવોમાં અચાનક અને નોંધપાત્ર વધારો થતાં ખેડૂત વર્ગમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખેતી માટે આવશ્યક ખાતરના ભાવ વધવાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા ઉભી થઈ છે.

માહિતી મુજબ, એમોનિયા સલ્ફેટ ખાતરનો ભાવ અગાઉ 950 રૂપિયા હતો, જે હવે વધીને આશરે 1400 થી 1450 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એ જ રીતે એન.પી.કે. ખાતરનો ભાવ 1450 રૂપિયાથી સીધો વધીને 2250 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વધારો લગભગ 40 ટકા જેટલો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે ખેડૂતો માટે મોટું બોજ સાબિત થઈ શકે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક બાજુ ખેતી માટેના તમામ ઇનપુટ ખર્ચ—જેમ કે બીજ, દવાઓ અને મજૂરીમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ પાકના યોગ્ય ભાવ મળતા નથી. આવી પરિસ્થિતિમાં ખાતરના ભાવમાં થયેલો વધારો ખેતીને વધુ મોંઘી અને જોખમી બનાવે છે.

સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, જો સરકાર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. તેઓએ ખાતરના ભાવ પર નિયંત્રણ લાવવા અને સહાય આપવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે. ચૂંટણીના સમયમાં થયેલા આ વધારાને લઈને રાજકીય સ્તરે પણ ચર્ચાઓ તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોને રાહત આપવા માટે શું પગલાં લે છે.

સંબંધિત સમાચાર