વાવ શહેરના મુખ્ય વિસ્તાર એવા ચારડીયાવાસ શેરીના નાકા પાસે આવેલા વેણવાસ વિસ્તારના સધીમાતાના મંદિર પાસે એક જોખમી વીજ પોલની લાઇન રહેણાંક મકાનના ઉપરથી પસાર થઈ રહી છે. આ જોખમી વિજપોલનો પસાર થતો 11.કે.વી ના વીજ વાયરનો લોકોને ભય સતાવી રહ્યો છે.જે સંદર્ભે વેણ વાસના જાગૃત યુવકે જવાબદાર યુ.જી.વી.સી.એલની કચેરીમાં લેખિત મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની વાતને ધ્યાને લેવાતી નથી. જો કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી વીજ તંત્રની રહેશે તેવું રહીશો સોસીયલ મીડિયામાં જણાવી રહ્યા છે. જોકે વીજતંત્રની ઘોર બેદરકારીને લીધે વાવ શહેર જે 15 હજાર ની જનસંખ્યા ધરાવતું શહેર હોવા છતાં 43 ડીગ્રીમાં પણ વિના કારણોસર વીજળીનો પુરવઠો ખોરંભે ચડે છે. વિના કારણે દિવસ કાળઝાળ ગરમીમાં બે થી ત્રણ વખત વીજ પુરવઠો બંધ થઈ જાય છે. લોકોની રાડ ફરિયાદ કોઈ સાંભળતું નથી.
વાવના વેણવાસમાં જોખમી વીજપોલને કારણે અકસ્માતનો ભય; અન્ય સ્થળે ખસેડવા ઉગ્ર લોકમાંગ

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરના ચાત્રા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ જર્જરિત, ગ્રામજનોમાં ભારે રોષ
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવ પંચાયતનું સ્થળાંતર વિવાદમાં: જૂની ઇમારતમાં કામકાજ શરૂ છતાં નવું મકાન અધૂરું
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના મોરિખા ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
5 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં LCBની રેડ: જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
6 દિવસ પહેલા
