લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ દુહા છંદ અને હાસ્યની રમઝટ બોલાવી; મહેસાણા જિલ્લામાં બહુચરાજી ખાતે ત્રિ દિવસીય ચૈત્રી પૂનમના મેળામાં આજે મેળાના બીજા દિવસે તા. 11/04/2025 ના રોજ માનવ મહેરામણ ઉમટ્યું હતું. આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી પૂનમના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરામાં જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવે અને કલાકાર વિશ્વા કંચાલા દ્વારા વિવિધ રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંઈરામ દવે દ્વારા દુહા છંદની રમઝટ બોલાવીને યાત્રાળુઓને ભક્તિમાં મંત્રમૃગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત કલાકાર વિશ્વા કંચાલા દ્વારા ' હે મા જગજનની ' સ્તુતિ રજૂ કરવામાં આવી હતી તેમજ વિવિધ કલાકારોના કાફલાએ જુદી જુદી સાંસ્કૃતિક રજુઆત કરતા મોડી રાત સુધી માં બહુચરના ભક્તોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરાની મોજ માણી હતી.
શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી મેળાના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરો યોજાયો

ટેગ્સ:#pilgrimage#Mehsana District#Community Celebration#Event Inauguration#Bahucharaji#Chaitri Mela#Cultural Program#Folk Dance#Sairam Dave#Maa Bahucharaji#Religious Festival#Traditional Music#Local Arts
સંબંધિત સમાચાર
મહેસાણાવિસનગરના ઐતિહાસિક ત્રણ દરવાજા ટાવરનો ભાગ ધરાશાયી: મોચીકામ કરતા યુવકનો આબાદ બચાવ
15 કલાક પહેલા
મહેસાણામહેસાણાના રામોસણામાં ગટરની ગંગા: ૧૫ દિવસથી ગંદા પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત
15 કલાક પહેલા
મહેસાણાવિજાપુરમાં લોકશક્તિનો પરચો: જુના ફુદેડાના ગ્રામજનોએ દારૂબંધીનું રણશિંગું ફૂંક્યું
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં વહીવટી સર્જરી: નવા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો
1 દિવસ પહેલા
