રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા3 એપ્રિલ, 2026| Super Admin

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં : ભીલડી ખાતે બેઠક મળી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં : ભીલડી ખાતે બેઠક મળી

સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી એ હાજરી આપી

​ભાજપના ૩૦ થી વધુ સભ્યોએ કેસરિયો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો

બનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે  કોંગ્રેસ સમિતિ દ્વારા રણનીતિ ઘડવા માટે એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના આખોલ ચાર રસ્તા પાસે ભીલડી રોડ પર આવેલા જૈન વિહાર ધામ ખાતે શુક્રવારે આ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી ચૂંટણીઓ માટે 'સેન્સ પ્રક્રિયા' હાથ ધરવાનો અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર કરવાનો હતો.

​બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ વધુમાં વધુ મતોથી વિજયી બને તે માટે પાયાના સ્તરે કામ કરવું પડશે. તેમણે ભાર પૂર્વક કહ્યું કે, કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ પણ જમીની સ્તર પર ઉતરીને પક્ષને જીતાડવા માટે મહેનત કરશે. ​બીજી તરફ, વડગામના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અન્યાય ચલાવી લેવામાં આવશે નહીં. આ પ્રસંગે ભાજપના ૩૦થી વધુ સભ્યોએ કોંગ્રેસની વિચારધારા સ્વીકારી પક્ષમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

આ પ્રસંગે બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, વડગામ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઇ મેવાણી, પ્રભારી મુકેશભાઇ દેસાઇ, ડીસા તાલુકા પ્રમુખ ખેંગારભાઇ ચૌધરી, અજમલભાઇ રાનેરા, જયંતિભાઇ આંજણા, ડીસા તાલુકા કોંગ્રેસ મહામંત્રી શંકરભાઇ એમ. ડાભી, કુચાવાડા જીલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઇ રબારી, ડીસા તાલુકા કોંગ્રેસ પક્ષના સભ્યો, યુથ કોંગ્રેસના સભ્યો, મહીલા કોંગ્રેસના સભ્યો, એન.એસ.યુ.આઇ. અને સેવાદળના તમામ કાર્યકરો તેમજ પદાધિકારીઓ, પાર્ટીના વિચારક અને ઇચ્છુક ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સંબંધિત સમાચાર