રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા31 જુલાઈ, 2025| Super Admin

થરાદમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની ઘાતકી હત્યા

થરાદમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની ઘાતકી હત્યા
થરાદના ડુવા ગામમાં પ્રેમલગ્ન કર્યાની અદાવત રાખી યુવતીના સગાઓએ મંગળવારે સાજે ઘરે જઇ રહેલા યુવકના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેમાં પ્રેમ લગ્ન કરનારા યુવકના પિતાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. થરાદ તાલુકાના ડુવા ગામના શ્રવણભાઈ પ્રહલાદભાઈ ડાંગીએ પાવડાસણની યુવતી સુખીબેન શાંતિજી વણકર સાથે આશરે 20-25 દિવસ પહેલા રજીસ્ટ્રેશન મેરેજ કર્યા હતા. મંગળવારના રોજ સાંજે આશરે નવ વાગ્યે શ્રવણભાઈ તેમના પિતા, પત્ની અને ભાઈ-ભાભી સાથે ગાડી લઈને જઇ રહ્યા હતા. ત્યારે યુવતીના સગાઓએ ધાખા રોડ ઉપર પાવડાસણ ત્રણ રસ્તા નજીક ચાર ગાડીઓમાં આવીને શ્રવણભાઈની ગાડીને ઘેરી લીધી હતી. આરોપીઓએ લાકડી, પાઇપ અને છરી જેવા હથિયારો લઈને શ્રવણભાઈનાં પરિવાર પર હુમલો કર્યો હતો. શ્રવણભાઈની પત્ની સુખીબેનને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી શ્રવણ ભાઈનાં પિતા પ્રહલાદભાઈએ આરોપીને અટકાવતા પ્રહલાદભાઈને છરી સહિતના હથિયારોથી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા. શ્રવણભાઈને તથા તેમના ભાઈ અને ભાભીને પણ લાકડી તથા પાઇપ વડે ઈજાઓ પહોંચાડી તેમની ગાડીના કાચ તોડી નુક્સાન કર્યું હતું. બાદમાં 108 મા ઘાયલોને ધાનેરા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકનાં પુત્ર જબરાભાઈ એ 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર