અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં 241 જેટલા મુસાફરોના મોત નિપજ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી ને માં અંબાના પરમ ભક્ત હતા અને અવારનવાર અંબાજી દર્શનાર્થે પરિવાર સાથે આવતા હતા. જયારે આ ઘટનામાં દાંતા સાથે બનાસકાંઠાના પણ કેટલાક મુસાફરોનો આ ઘટનામાં મોત નિપજ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં યજ્ઞ ને કર્મકાંડ કરતા બ્રાહ્મણોએ પણ ભારે દુઃખની લાગણી સાથે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દિવંગત આત્માને શાંતિ મળે અને પ્રભુના ચરણોમાં વાસ મળે તે માટે હોમહવન ઇત્યાદિ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યાં પ્લેન ક્રેશ થઈને પડ્યું તેવામાં જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે તે લોકો જલ્દીથી સાજા થાય તે માટે માં અંબાને પ્રાર્થના કરી માતાજી ના ચાચરચોકમાં દિવંગત આત્માંઓ માટે મંત્રોચાર કર્યા હતા.
પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોની શાંતિ માટે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ

ટેગ્સ:#Shaktipeeth#Ambaji temple#Banaskantha District#Gujarat News#Religious Observances#Community Mourning#Vijaybhai Rupani#Plane Crash Tribute#Brahmins#Yajna and Homa Havan#Devotion and Rituals#Mantra Chanting#Passenger Casualties#Spiritual Healing#Prayer for the Departed
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
3 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
4 દિવસ પહેલા
