ભારતીય A ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકામાં ત્રણ દેશોની શ્રેણીમાં ભાગ લઈ રહી છે. તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ભારતે પહેલી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું, પરંતુ બીજી મેચ અફઘાનિસ્તાન સામે હારી ગયું હતું. ત્યારબાદ ત્રીજી મેચ ટાઇ થઈ હતી, પરંતુ ભારતીય ટીમ સુપર ઓવરમાં હારી ગઈ હતી. આ દરમિયાન, ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. અશોક શર્માનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુદ્ધવીર સિંહને પડતો મૂકવામાં આવ્યો છે.
ત્રિકોણીય શ્રેણી દરમિયાન બીસીસીઆઈએ ભારતીય એ ટીમમાં ફેરફાર કર્યા છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે પસંદગી સમિતિએ શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણી માટે ભારત એ ટીમમાં યુધવીર સિંહની જગ્યાએ અશોક શર્માને સ્થાન આપ્યું છે. એવું અહેવાલ છે કે યુધવીરે 13 જૂને બોલિંગ કરતી વખતે જમણા ખભામાં અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી અને 11 જૂને ફિલ્ડિંગ સત્ર દરમિયાન પણ આવી જ પીડા અનુભવી હતી.
આ અંગે વધુ વિગતો આપતાં, BCCI એ કહ્યું છે કે નિષ્ણાતની સલાહ લીધા પછી, તબીબી ટીમે યુધવીરને જમણા રોટેટર કફની ઇજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સની દેખરેખ હેઠળ ગ્રેજ્યુએટેડ રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થવાની સલાહ આપી છે.
BCCI એ અચાનક ભારતીય ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો

સંબંધિત સમાચાર
રમતગમતટીમ ઇન્ડિયા એક દિવસમાં ત્રણ મેચ રમશે
6 કલાક પહેલા
રમતગમતઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી, બે ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી
12 કલાક પહેલા
રમતગમતશ્રીલંકાથી મેચ હાર્યા બાદ વૈભવ સુર્યવંશી ગુસ્સે થયા, કરી દીધો ઝઘડો
13 કલાક પહેલા
રમતગમતદોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે નીરજ ચોપરા
1 દિવસ પહેલા
