બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને જણાવવાનું કે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું e-KYC કરવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના નાગરિકો ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ., સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી, મામલતદાર કચેરી ખાતે પોતાનું e-KYC કરાવી શકે છે. તથા કોઇપણ લાભાર્થી વ્યાજબી ભાવની દુકાન પર પણ પોતાનું e-KYC કરાવી શકે છે. આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા સેલ્ફ ઇ-કેવાયસી (My Ration App) દ્વારા પણ કરી શકે છે. જે નાગરિકોને પોતાનું e-KYC કરવાનું બાકી છે તેઓ વહેલી તકે e-KYC કરાવી પોતાનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનેથી મેળવી શકે છે. ઉપરોક્ત જગ્યાઓ પર e-KYCની કામગીરી ચાલુ છે અને જે લોકોએ e-KYC કરાવેલ છે તેમને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે. જે રેશનકાર્ડધારકોનું e-KYC બાકી છે તેઓને સત્વરે e-KYC કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી બનાસકાંઠા-પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
રેશનકાર્ડનું e-KYC તત્કાલિક પૂર્ણ કરાવવા બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની નાગરિકોને કરાઈ અપીલ

ટેગ્સ:#E-KYC#food security#Gram Panchayat#Banaskantha District#Public Awareness#Local Administration#Government Services#District Supply Department#Ration Distribution#My Ration App#Ration Cards#Beneficiary Identification#Supply Chain Management
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
16 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
