મુંબઈથી પાલનપુરની સીધી ટ્રેન શરૂ કરવા બનાસવાસીઓની માંગ

મુંબઈ અને સુરતના બનાસવાસીઓની સંસદ સભ્યને રજુઆત; મુંબઈ અને સુરતમાં રહેતા લાખો બનાસકાંઠાના રહેવાસીઓ માટે મુંબઈથી પાલનપુર સુધી એક પણ સીધી ટ્રેન નથી, કારણ કે રાજસ્થાન અને કચ્છ જતી બધી ટ્રેનો પ્રવાસી સંગઠનોના દબાણ હેઠળ કચ્છ અને રાજસ્થાન જાય છે. જેના કારણે બનાસકાંઠાના લોકોને રેલ્વે સુવિધા મળતી નથી. જેના માટે લાંબા અંતરની ટિકિટ લેવી પડે છે. આર્થિક બોજ વધે છે. દિવાળી અને ઉનાળાના વેકેશનમાં ઘરે આવવા માટે ટિકિટ ન મળવાને કારણે, લક્ઝરી બસ ટિકિટ 1500 થી 2000 રૂપિયા સુધી ચૂકવવી પડે છે. બસ દ્વારા મુસાફરી કરવી પણ જીવલેણ છે. મુંબઈથી અમદાવાદ "લોકશક્તિ" ટ્રેન અમદાવાદ પહોંચે છે. જો તેને પાલનપુર સુધી લંબાવવામાં આવે તો ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના લોકોને રેલ્વે સુવિધા મળી શકે છે. આ માટે, બનાસકાંઠાના વતની અને મુંબઈમાં ડાયમંડ અખબાર પારસમણીના તંત્રી જયંતિલાલ શાહે બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરને ઈ-મેલ અને પત્ર દ્વારા જાણ કરી છે. બનાસકાંઠાનાં મુંબઈ સુરત વસતાં બનાસ વાસીઓને સીધી પાલનપુર ટ્રેનની સુવિધા મળી રહે તેવો સાંસદ ને પત્ર લખીને રજુઆત કરાઈ છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
9 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
