રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાબરકાંઠા25 માર્ચ, 2025| Super Admin

હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ

હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ
વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે હિંમતનગરમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની સિવિલ હોસ્પિટલથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને ટાવર ચોક થઈ પરત ફરી હતી. રેલીમાં સહભાગીઓએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વર્ષ 2025ની વિશ્વ ટીબી દિવસની થીમ "Yes! We Can End TB: Commit, Invest, Deliver" છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત અને જિલ્લા ક્ષય કેન્દ્ર હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ અને હિંમતનગર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ફાલ્ગુનીબેન પરમારે જણાવ્યું કે, ટીબીથી સાજા થયેલા દર્દીઓને ટીબી ચેમ્પિયન તરીકે તૈયાર કરવામાં આવે છે. આ ચેમ્પિયન્સ લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવે છે અને ટીબી અંગેની ગેરમાન્યતાઓ દूર કરવામાં મદદ કરે છે. વર્ષ 2024માં સાબરકાંઠા જિલ્લામાં 4732 ટીબીના કેસો નોંધાયા છે. તેમાંથી 4128 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2912 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં સારવાર સફળતા દર 91 ટકા છે. વર્ષ 2024માં 3722 ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર