રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા19 જૂન, 2026| Super Admin

પાલનપુરમાં આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, પોલિયો બહિષ્કારની ચીમકી

પાલનપુરમાં આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, પોલિયો બહિષ્કારની ચીમકી

ચાર મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોમાં રોષ 

જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય વેતન અને બાકી ચૂકવણીની માંગ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા પંચાયતના બગીચામાં મોટી સંખ્યામાં આશા વર્કરો એકત્રિત થઈ રેલી યોજી હતી. અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી તેમના ઇન્સેન્ટિવની રકમ ચૂકવવામાં આવી નથી, જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. બાકી રહેલા ઇન્સેન્ટિવની તાત્કાલિક ચૂકવણી તેમજ યોગ્ય વેતન વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ સાથે તેમણે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આશા વર્કરોના જણાવ્યા મુજબ છેલ્લા બે દાયકાથી તેઓ પોલિયો સહિતના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. દેશને પોલિયો મુક્ત બનાવવા માં પણ આશા વર્કરોનું નોંધપાત્ર યોગદાન રહ્યું હોવા છતાં આજે પણ તેમને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતનનો લાભ મળતો નથી. વધતી મોંઘવારી વચ્ચે લાંબા સમય સુધી કામગીરી કરવા છતાં મળતું મહેનતાણું અત્યંત ઓછું હોવાનું તેમણે જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન આશા વર્કરોએ ચેતવણી આપી હતી. કે જો તેમની માંગણીઓનો ત્વરિત નિકાલ કરવામાં નહીં આવે તો આગામી પોલિયો અભિયાનની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ રાજ્યવ્યાપી હડતાલનું આંદોલન શરૂ કરવામાં આવશે. આશા વર્કરોની આ ચીમકી બાદ આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

ટેગ્સ:#Palanpur

સંબંધિત સમાચાર