રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
મહેસાણા21 ડિસેમ્બર, 2024| Super Admin

ઊંઝાની આંગડિયા પેઢીના કર્મીઓ સાથે ઝપાઝપી કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો

ઊંઝાની આંગડિયા પેઢીના કર્મીઓ સાથે ઝપાઝપી કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો

ઊંઝા શહેરના સરદાર ચોક નજીક બાળોજ કોમ્પલેક્ષ ખાતે આવેલ આંગડિયાન બે કર્મીઓ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આંગડિયા કર્મીના મોતીપુરા સોસાયટીના ગેટ પાસે ગાડીમાં આવેલ ઈસમોએ ઝપાઝપી કરી આંગડિયા કર્મી પાસે રહેલ બેગ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. જૉકે સફળતા ન મળતા હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી. બચાવો બચાવોની બૂમો પાડતા લોકો ભેગા થઈ જ્યાં લૂંટારુઓ ગાડીમાં બેસી પલાયન થઈ ગયાં હતા. પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા સ્ટેશન રોડ પર આવેલ બાળોજ કોમ્પલેક્ષ ખાતે પી. ઉમેશચંદ્ર નામની આંગડિયા પેઢી આવેલ છે. જે પેઢીનાં કર્મચારી પટેલ સંજય કાન્તિલાલ ઉ.વ 48 રહે મહાદેવપૂરા કોલોની ઊંઝા સાથી કર્મચારી રાજેન્દ્ર પટેલને મૂકવા સાંજના સુમારે મોતીપુરા ખજૂરીપોળ ખાતે ગયા હતા. સમી સાંજે મોતીપુરા ગેટ પાસે જતા ગાડીમાં અગાઊ થી ઉભેલા લૂંટારુઓ પૈકી કર્મીઓ સાથે ઝપાઝપી કરી બેગમાં રહેલ રૂપિયા ૨.૫૦ લાખ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. છેવટે લૂંટારૂઓએ હુમલો કરતા સંજયભાઇને ઇજાઓ પહોંચી હતી. જૉકે કર્મીઓ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત સંજયભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે આંગડિયા પેઢી કર્મી રાજેન્દ્રભાઈએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરવામાં છે.

સંબંધિત સમાચાર