રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય17 મે, 2025| Super Admin

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પહેલા કહ્યું કે ભારતે ઝીરો ટેરિફ ઓફર કરી, હવે કહ્યું- મને ડીલ કરવાની ઉતાવળ નથી

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પહેલા કહ્યું કે ભારતે ઝીરો ટેરિફ ઓફર કરી, હવે કહ્યું- મને ડીલ કરવાની ઉતાવળ નથી

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ગોળ ગોળ વાતો

(જી.એન.એસ) તા. 17

વોશિંગ્ટન,

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડા દિવસ પહેલાં ભારત સાથે કરેલા કરારને લઈને દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકાની ઝીરો ટેરિફની ઓફર આપી છે. પરંતુ, હવે તેમના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. એકવાર ફરી ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, મારે આ કરારને લઈને કોઈ ઉતાવળ નથી કરવી. 

એક મીડિયા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ‘ભારતે અમેરિકન વસ્તુઓ પર પણ ટેરિફ ખતમ કરવાની રજૂઆત કરી છે. ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક વ્યાપારિક જીત જણાવતા કહ્યું કે, તે વેપાર કરવાનું લગભગ અસંભવ બનાવી દે છે. શું તમે જાણો છો કે, તે અમેરિકા માટે પોતાના ટેરિફમાં 100% કાપ કરવા તૈયાર છે? પરંતુ, મને આ કરારની કોઈ ઉતાવળ નથી.’ જોકે, ભારતે અત્યાર સુધી પોતાના નિવેદનમાં ઝીરો ટેરિફની વાત નથી કરી. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પનો આ દાવો ખૂબ જ અસ્પષ્ટ લાગે છે. 

ઝીરો ટેરિફનો દાવો કર્યા છતાં ટ્રમ્પને આ કરારની ઉતાવળ નથી. તેમણે  કહ્યું કે, ‘કોઈપણ કરારને ઔપચારિક રૂપ આપવાની ઉતાવળ નથી. પરંતુ, આ કરાર જલ્દી થશે. દરેક અમારી સાથે કરાર કરવા ઈચ્છે છે. બાકી દેશો સાથે પણ કરાર ખૂબ નજીકના સમયમાં કરવામાં આવશે.’

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ની ગોળ ગોળ વાતો બાદ હવે આ બાબતે ભારતનું નિવેદન પણ સામે આવ્યું છે. પત્રકારો સાથે વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા કરી કે, અમેરિકા સાથે વ્યાપાર વાર્તા શરૂ છે, જટીલ છે અને હજુ સમાપ્ત નથી થઈ. ભારત અને અમેરિકાની વચ્ચે વ્યાપાર વાર્તા શરૂ છે. આ જટીલ ચર્ચા છે. જ્યાં સુધી બધું નક્કી ન થઈ જાય, ત્યાં સુધી કંઈ નક્કી નથી હોતું. કોઈપણ વ્યાપાર કરાર પરસ્પર લાભદાયી હોવો જોઈએ, તે બંને દેશો માટે કારગર હોવો જોઈએ. જ્યાં સુધી એવું ન થાય, ત્યાં સુધી તેના પર કોઈપણ નિર્ણય લેવો ઉતાવળ હશે. 



Source link

સંબંધિત સમાચાર