રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાયન્સ & ટેકનોલોજી25 જૂન, 2026| Super Admin

સ્માર્ટફોન છોડી લોકો કેમ ખરીદી રહ્યા છે કીપેડ ફોન? જાણો શું છે 'ડિજિટલ થાક' અને ઓફ-ગ્રિડ હોલિડે

સ્માર્ટફોન છોડી લોકો કેમ ખરીદી રહ્યા છે કીપેડ ફોન? જાણો શું છે 'ડિજિટલ થાક' અને ઓફ-ગ્રિડ હોલિડે

એક સમય હતો જ્યારે યુવા પેઢીમાં મોંઘા સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર ચોવીસ કલાક એક્ટિવ રહેવાની એક હોડ જામી હતી. પરંતુ શું તમે જાણો છો કે હવે આ ચિત્ર તદ્દન બદલાઈ રહ્યું છે? જી હા, સતત સ્ક્રીન સામે રહેવાથી અને ઓનલાઈન રહેવાના કારણે હવે લોકોમાં 'ડિજિટલ થાક' એટલે કે 'ડિજિટલ ફેટીગ' ખૂબ જ વધી રહ્યો છે. અને આ જ થાકથી બચવા માટે હવે લોકો મોબાઇલ-લેપટોપ છોડીને પ્રકૃતિના ખોળે શાંતિ શોધવા ‘ઓફ-ગ્રિડ હોલિડે’ તરફ વળી રહ્યા છે.

ભારત અને અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં થયેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નવી પેઢી સતત આવતા નોટિફિકેશન અને સોશિયલ મીડિયાના પ્રેશરથી બચવા માટે ‘ડિજિટલ મિનિમલિઝમ’ અપનાવી રહી છે. લોકો હવે ૨૦૦૦ના દાયકાના જૂના કીપેડવાળા ફીચર ફોન કે ફ્લિપ ફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે, એટલું જ નહીં પણ મ્યુઝિક માટે જૂની સીડી અને વિનાઇલ રેકોર્ડ પ્લેયર ખરીદી રહ્યા છે. અનેક મોટા બોલિવૂડ અને હોલીવુડ સેલેબ્સ પણ હવે સમયાંતરે ડિજિટલ ડિટોક્સ લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી રહ્યા છે.

આ ગંભીર મુદ્દાને જોતાં સરકારે પણ હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે. કર્ણાટક સરકારે વિદ્યાર્થીઓ માટે મનોરંજન સંબંધિત સ્ક્રીન ટાઈમ દરરોજ માત્ર એક કલાક સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે ચંદીગઢમાં 'સન્ડે અનપ્લગ ટુ રિકનેક્ટ' અભિયાન શરૂ કરાયું છે જેથી રવિવારે લોકો સ્માર્ટફોનથી દૂર રહી શકે. 

સંબંધિત સમાચાર