રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય30 માર્ચ, 2025| Super Admin

છત્તીસગઢના બિલાસપુર ખાતેથી પીએમ મોદીએ એ અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ

છત્તીસગઢના બિલાસપુર ખાતેથી પીએમ મોદીએ એ અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ

કોંગ્રેસના મનમાં ભ્રષ્ટાચાર, પ્રદેશને લૂંટ્યુ: પીએમ મોદી

(જી.એન.એસ)તા.30

બિલાસપુર,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના બિલાસપુરના ગામ મોહભટ્ટા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ હતું. આ અંતર્ગત 33700 કરોડ રૂપિયાથી વધુના વીજળી, તેલ અને ગેસ, રેલ, માર્ગ, શિક્ષણ અને આવાસ ક્ષેત્રોને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરાયો હતો.

આ પ્રસંગે પીએમ મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યુ હતું કે, આજે પહેલી નવરાત્રી છે અને છત્તીસગઢ માતા મહામાયાની ભૂમિ છે. આ માતા કૌશલ્યાનું માતૃઘર પણ છે. આવી સ્થિતિમાં, માતૃશક્તિને સમર્પિત આ નવ દિવસો છત્તીસગઢ માટે ખૂબ જ ખાસ છે અને મારું સૌભાગ્ય છે કે હું નવરાત્રીના પહેલા દિવસે અહીં પહોંચ્યો છું. ભાજપ સરકાર બધા વચનો પૂરા કરી રહી છે. ભાજપને આપેલા આશીર્વાદ બદલ હું તમારો આભાર માનું છું. ભાજપની રાજ્ય સરકાર બધા વચનો પૂરા કરશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમએ કહ્યું કે કોંગ્રેસ સરકારે ઘણો ભ્રષ્ટાચાર કર્યો છે.

વધુમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, છત્તીસગઢ દેશના એવા રાજ્યોની યાદીમાં જોડાયું છે જ્યાં 100% રેલ નેટવર્ક વીજળી પર ચાલે છે, જે એક મોટી સિદ્ધિ છે. હાલમાં, છત્તીસગઢમાં લગભગ 40,000  કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષના બજેટમાં પણ છત્તીસગઢ માટે 7000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં સારી રેલ કનેક્ટિવિટીની માંગ પૂર્ણ થશે. આનાથી પડોશી રાજ્યો સાથે જોડાણમાં પણ સુધારો થશે.

વિરોધીઓ પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના શાસન દરમિયાન અહીં વિકાસના કામો થતા નહોતા અને જે પણ કામ થતું હતું તેમાં કોંગ્રેસના લોકો કૌભાંડો કરતા હતા. તેમણે કટાક્ષમાં કહ્યું કે કોંગ્રેસને ક્યારેય તમારી પરવા નથી. અમે તમારા જીવન, તમારી સુવિધાઓ અને તમારા બાળકોનું ધ્યાન રાખ્યું. અમે છત્તીસગઢના દરેક ગામમાં વિકાસ યોજનાઓ લઈ જઈ રહ્યા છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર