રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય19 માર્ચ, 2025| Super Admin

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત

(જી.એન.એસ) તા. 18

નવી દિલ્હી,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ખેડૂતોના કલ્યાણ માટે, ભૂમિની ફળદ્રુપતા માટે, માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે અને પર્યાવરણના રક્ષણ માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિને રાષ્ટ્રવ્યાપી બનાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઘોષણા કરી છે. આગામી તા. પહેલી એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ અમલી થશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશનના અમલીકરણ માટેની સજ્જતા અને આનુષાંગિક આયોજનથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને માહિતગાર કર્યા હતા.

વિકસિત ભારત@2047 માટે ગુજરાતના વિશ્વવિદ્યાલયોના યુવાનોની સહભાગીતા માટેની માર્ગદર્શક બાબતો તથા પર્યાવરણ રક્ષણ માટે રાજ્યમાં હાથ ધરાયેલી કામગીરી અંગે પણ તેમણે પ્રધાનમંત્રીશ્રી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.

ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથેની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નશામુક્તિ અભિયાનમાં વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓની સહભાગીતા વિશે વિમર્શ કર્યો હતો. આવનારા ઉનાળાના દિવસોમાં વીજળીની માંગને પહોંચી વળવાના ઉપાય તરીકે વીજબચત ઝુંબેશ અને વીજળીના કરકસરયુક્ત ઉપયોગ માટે લેવાઈ રહેલા પગલાં વિશે પણ તેમણે વાતચીત કરી હતી. બંને મહાનુભાવોને રાજ્યપાલશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર