રખેવાળ
બ્રેકિંગ
Uncategorized11 ફેબ્રુઆરી, 2025

તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો

તેલંગાણામાં બીયર પીનારાઓને સરકાર તરફથી મોટો ઝટકો

(જી.એન.એસ) તા. 11

હૈદરાબાદ,

તેલંગાણામાં બીયર નું સેવન કેનરા લોકો માટે માથા સમાચાર આવ્યા છે જેમાં હવે તેમને પોતાનો શોખ પૂરો કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. વાસ્તવમાં રાજ્યમાં બીયરની કિંમતોમાં મોટો વધારો થયો છે. બિયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાગુ કરાયેલા સુધારેલા ભાવ સરકારની નવી આબકારી નીતિ હેઠળ આવે છે, જેનો હેતુ દારૂના વેચાણમાંથી આવક વધારવાનો છે.

તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે બિયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી, તેલંગાણા દક્ષિણ ભારતમાં બીયરના કંઝપ્શન માટે સૌથી મોંઘા રાજ્યોમાંનું એક બની ગયું છે. બિયરના ભાવમાં આ વધારા સાથે, બિયરની નિયમિત 650 ml બોટલની કિંમત બ્રાન્ડના આધારે આશરે 170-180 રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે.

રાજ્ય સરકાર દ્વારા સોમવારે મોડી રાત્રે જારી કરાયેલા નિર્દેશમાં તેલંગાણાના અગ્ર સચિવ (મહેસૂલ) એસ.એ.એમ. રિઝવીએ તેલંગાણા બેવરેજીસ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરને ભાવ સમિતિની ભલામણોનો અમલ કરવા નિર્દેશ આપ્યો. તમને જણાવી દઈએ કે નિવૃત્ત જસ્ટિસ જયસ્વાલની આગેવાની હેઠળની પેનલે બિયરના ભાવમાં 15 ટકા વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને મંજૂરી આપ્યા બાદ સરકારે 11 ફેબ્રુઆરી 2025 મંગળવારથી સુધારેલી બીયર MRP લાગુ કરી દીધી છે.

સંબંધિત સમાચાર

Uncategorized

ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું

1 વર્ષ પહેલા
Uncategorized

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા

1 વર્ષ પહેલા
Uncategorized

ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો

1 વર્ષ પહેલા
Uncategorized

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ 13 જેટલાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો

1 વર્ષ પહેલા