રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત29 ડિસેમ્બર, 2025| Super Admin

પોલીસ ખાતાની ૩૫ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી રણજીતસિંહ સોલંકી વયનિવૃત્ત


નિવૃત્તિ બાદનું જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.ચુડાસમા

(જી.એન.એસ) તા. ૨૯

ગાંધીનગર,

પોલીસ ખાતામાં ૩૫ વર્ષની લાંબી સેવાઓ બાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી રણજીતસિંહ સોલંકી આગામી ૩૧મી ડિસેમ્બરે વયનિવૃત્ત થઈ રહ્યા છે. એસએપી ગ્રુપ-૧૨માંથી એટેચમાં છેલ્લા ૧૬ વર્ષથી પીઆરઓ શાખા, પોલીસભવન ખાતે ફરજરત શ્રી સોલંકીને પીઆરઓ શાખા દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.ચુડાસમાએ વય નિવૃત્ત થતા શ્રી રણજીતસિંહને શુભેચ્છાઓ આપતા કહ્યુ કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થવું એક ફરજનો ભાગ છે ત્યારે તેમનું નિવૃત્તિ બાદનું જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે તેમજ પરિવાર સાથે સુખમય પસાર થાય. એટલું જ નહીં, ખાતામાં અનુભવી કર્મચારીઓ વયનિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે તેમની સેવાઓની પીઆરઓ શાખાને ચોક્કસ ખોટ પડશે.

નિવૃત થતા શ્રી રણજીતસિંહે પોતાના પ્રતિભાવમાં કહ્યું કે, પોલીસ પરિવાર દ્વારા મને મળેલો અપાર પ્રેમ મારા માટે અવિસ્મરણીય રહેશે. ૩૫ વર્ષની સેવાઓમાં તમામ અધિકારી, કર્મચારીઓએ આપેલા સહયોગ-પ્રેમને પરિણામે મને અપ્રતિમ સફળતા મળી છે. તે માટે સૌનો આભાર માની તેમણે તેમના કાર્યકાળ દરમિયાનના અનુભવો તાજા કર્યા હતા.

આ પ્રસંગે પીઆરઓ ટુ ડીજીપી શ્રી વિપુલ ચૌહાણ, પીઆરઓ શાખાના પીએસઆઈ શ્રી કે.ઓ.દેસાઈ, શ્રી એસ.જી.ચૌહાણ, શ્રી રાહુલસિંહ ચુડાસમા સહિત પીઆરઓ શાખાના અધિકારી-કર્મચારીઓએ તેમની સાથેના સંસ્મરણો તાજા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.



Source link

સંબંધિત સમાચાર