રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા11 નવેમ્બર, 2025| Super Admin

અમેરિકા અને નેધરલેન્ડના રાયડાના વેપારીઓ ડીસા માર્કેટયાર્ડની મુલાકાતે

અમેરિકા અને નેધરલેન્ડના રાયડાના વેપારીઓ ડીસા માર્કેટયાર્ડની મુલાકાતે
વિદેશી કંપનીઓએ ગુજરાતના રાયડા તેલની ગુણવત્તા ચકાસવા મુલાકાત લીધી ​ ગુજરાતમાં ઉત્પાદિત થતા રાયડા તેલની ગુણવત્તા અને નિકાસની સંભાવનાઓનો અભ્યાસ કરવા માટે અમેરિકા અને નેધરલેન્ડની આયાત-.નિકાસનું કામ કરતી કંપનીઓના પ્રતિનિધિઓએ ડીસા માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી રાજ્યના રાયડા તેલને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ મળી રહેવાની સંભાવના વધી છે. ​ડીસા માર્કેટયાર્ડ ખાતેની મુલાકાત દરમિયાન, વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓએ અહીંના રાયડાના જથ્થાની ચકાસણી કરી હતી.આ બાબતે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ. એન. જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રાયડો ઉત્પાદિત થાય છે, તેમાં યુરેકિક એસિડનું પ્રમાણ લગભગ 47 થી 48 ટકા જેટલું હોય છે. ​આ યુરેકિક એસિડનો ઉપયોગ ફોરેનમાં વાહનોના કાચ અને અન્ય વસ્તુઓના નિર્માણમાં થતો હોવાથી, આ તેલની ગુણવત્તાની નિકાસ માટે ખૂબ જ સારી માંગ છે.​નેધરલેન્ડ અને અમેરિકાના નિકાસકારોની આ પાર્ટી સાથે મુંબઈ સ્થિત ડીપી રિફાઇનરીના કન્સલ્ટિંગ એક્સપર્ટ્સ પણ જોડાયા હતા. આ તમામ લોકો રાયડાની ગુણવત્તા અને તેના નિકાસના કામકાજના અભ્યાસ અર્થે ડીસા માર્કેટયાર્ડ આવ્યા હતા. ​વેપારીઓના જણાવ્યા અનુસાર, વિદેશી બજારમાં ભારતીય રાયડા તેલની માંગ સારી છે, જેના કારણે આ પાર્ટીઓ માલની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે ખાસ અહીં આવ્યા હતા. આ મુલાકાત ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે નિકાસના નવા દરવાજા ખોલી શકે છે.    

સંબંધિત સમાચાર