રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા17 એપ્રિલ, 2025| Super Admin

મહેસાણાના કુકરવાડા ખાતે રૂ.૧.૭૧ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો

મહેસાણાના કુકરવાડા ખાતે રૂ.૧.૭૧ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 1.71 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવ નિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તેમજ વિજાપુરના ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું રીબીન કાપી તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાહન વ્યવહારની સુવિધાઓમાં દિવસે દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે. આજે દરેક ગામમાં એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આજે કુકરવાડા ખાતે અત્યંત સુવિધાવાળું એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના થકી કુકરવાડા ગામ અને આજુબાજુના ગામ લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે. વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રોડ રસ્તા સહિતના વિકાસના કામોને અગ્રતા આપી લોકોને સુવિધા મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. છેવાડાના લોકોને સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે અને જેનો લાભ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી રહ્યો છે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વિજાપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે કુકરવાડા ગામમાં અદ્યતન નવીન બસ સ્ટેશન બનવાથી ગામ સહિત આજુબાજુના વિસ્તારના લોકોને બહુ મોટો ફાયદો થશે. કારણકે કુકરવાડા વેપારી મથક હોવાથી અહીં આજુબાજુના ગામોનો વાહન વ્યવહાર રહેતો હોવાથી નવીન બસ સ્ટેશન બન્યા બાદ બસોના રૂટોમાં પણ વધારો થશે અને લોકોની આવન જાવન સુવિધા વધશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમદાવાદ જવા આવવા માટે પણ બસોના નવા રૂટો શરૂ કરવામાં આવશે જેથી લોકોની પરિવહન સુવિધા વધશે. કુકરવાડા ગામમાં આજે વિકાસનું એક નવું સોપાન ઉમેરાયું છે અને દિવસે દિવસે ગામનો વિકાસ વધતો જાય છે.

સંબંધિત સમાચાર