ગત તારીખ 8 મે ના રોજ મધ્યરાત્રીએ વાવ શહેરના તૂરી બારોટ સમાજના માહોલના એક બંધ મકાનમાં મધ્યરાત્રીએ 2.30 કલાકે આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. મધ્યરાત્રીએ લોકોના ટોળા એકત્રિત થઈ પાણીનો મારો ચલાવ્યો હતો. આ બાબતની જાણ તા.પંચાયતના સદસ્ય ભૂરાજી પથુજી રાજપૂતને થતા મધ્યરાત્રીએ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટરને કરી ફાઇટર બોલાવી આગને કાબુમાં લેવાઈ હતી. કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બંધ મકાન સીતાબેન બારોટનું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. આગ બાબતની જાણ જવાબદાર તંત્રને પણ કરાઈ છે. આગથી કોઈ માલ સામાનને નુકશાન પહોંચ્યું હોય તો પીડિત ને સરકારી સહાય મળે તે જનહિતમાં છે.
વાવમાં મધ્યરાત્રીએ બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી, લોકોમાં મચી દોડધામ

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરાદમાં આશા વર્કરોનો આક્રોશ, 4 મહિનાથી પગાર ન મળતા પોલિયો અભિયાનના બહિષ્કારની ચીમકી
2 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદમાં મંદિરોની ચોરી કરતી ગેંગનો ભેદ ઉકેલાયો
3 દિવસ પહેલા
વાવ-થરાદસરહદી વાવ-થરાદ પંથકમાં લીલાછમ વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન: તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં કે મિલીભગત
4 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં હવે સીસીટીવી કેમેરાની બાજ નજર : 50 થી વધુ સ્થળોએ સીસીટીવી કેમેરા લાગશે
4 દિવસ પહેલા
