રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા18 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠામાં આઠ સેન્ટરો ઉપર ટેકાના ભાવે 1637 ખેડૂતોની 9155 મેટ્રિક ટન બાજરીની ખરીદી

બનાસકાંઠામાં આઠ સેન્ટરો ઉપર ટેકાના ભાવે 1637 ખેડૂતોની 9155 મેટ્રિક ટન બાજરીની ખરીદી
1138 ખેડૂતોના પી.એફ.એમ.એસ. દ્વારા 19.58 કરોડ રૂપિયા સીધા ખાતામાં જમા; બનાસકાંઠા જિલ્લામાં ચાલું વર્ષે પણ સરકારે ટેકાના ભાવ જાહેર કરતા તંત્ર દ્વારા બાજરી ખરીદીની શરૂ કરાઈ હતી.ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદી માટે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મુકાયું હતું. બાદમાં રજીસ્ટર થયેલ 3622 પૈકી 2645 ખેડૂતોના મોબાઈલ ઉપર મેસેજ છોડવામાં આવ્યાં હતાં.જેમાં બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં સેન્ટરો ઉભા કરીને ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને 15 જુલાઈ સુધીમાં 9150 મેટ્રિક ટન બાજરીની ખરીદી કરાઈ હતી. રાજ્ય સરકારના નિયત કરેલ ટેકાના ભાવ મુજબ પ્રતિ કવીંટલે 2925 રૂપિયાના ભાવે ખરીદી કરાઈ હતી.આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ પહેલી મેથી 15 જુલાઈ સુધી ટેકાના ભાવે બાજરી ખરીદીમાં 1667 ખેડૂતોની 9150 મેટ્રિક ટન બાજરીની ખરીદી કરવામાં આવી હતી. ધાનેરા સેન્ટર ઉપર એક પણ ખેડુતે બાજરી ન ભરાવી; બનાસકાંઠાના આઠ તાલુકાઓમાં બાજરી ખરીદી માટે ઉભા કરેલ સેન્ટરો પૈકી  ડીસામાં 396,કાંકરેજમાં 69, થરાદમાં 172, લાખણીમાં 419,દિયોદરમાં 160,પાલનપુરમાં 317,વડગામમાં 104, ખેડૂતોએ ટેકાના ભાવે બાજરી ભરાવી હતી.જ્યારે ધાનેરામાં એક પણ ખેડૂતે ટેકાના ભાવે બાજરી ભરાવી નહતી.

સંબંધિત સમાચાર