રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય17 એપ્રિલ, 2025| Super Admin

ભારતમાં ચીની દૂતાવાસે 1 જાન્યુઆરીથી 9 એપ્રિલ, 2025 વચ્ચે 85,000 થી વધુ ભારતીય નાગરિકોને વિઝા આપ્યા

ભારતમાં ચીની દૂતાવાસે 1 જાન્યુઆરીથી 9 એપ્રિલ, 2025 વચ્ચે 85,000 થી વધુ ભારતીય નાગરિકોને વિઝા આપ્યા

(જી.એન.એસ) તા. 17

બીજીંગ/નવી દિલ્હી,

ભારત માટે એક તરફ જ્યાં અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે, ચીન સાથેના સંબંધોમાં સુધારો થયો હોય તેમ પણ લાગી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો હોય તેમ એટલા માટે કહી શકાય કેમ કે, ભારતમાં ચીની દૂતાવાસે 1 જાન્યુઆરીથી 9 એપ્રિલ, 2025 વચ્ચે 85,000 થી વધુ ભારતીય નાગરિકોને વિઝા આપ્યા છે.

આ બાબતે ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગના જણાવ્યા મુજબ, “9 એપ્રિલ, 2025 સુધીમાં, ભારતમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે આ વર્ષે ચીનની મુસાફરી કરતા ભારતીય નાગરિકોને 85,000 થી વધુ વિઝા જાહેર કર્યા છે. તેમને X પર લખ્યું છે કે, વધુ ભારતીય મિત્રોનું ચીનની મુલાકાત લેવા અને ખુલ્લા, સલામત, પ્રામાણિક અને મૈત્રીપૂર્ણ ચીનનો અનુભવ કરવા માટે સ્વાગત છે.”

ભારત અને ચીન વચ્ચે સરળ મુસાફરીને સરળ બનાવવા માટે ચીન સરકારે ઘણી છૂટછાટો પણ આપી છે, જે નીચે મુજબ છે.

કોઈ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ નહીં: ભારતીય અરજદારો હવે કોઈપણ પૂર્વ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ વિના કામકાજના દિવસોમાં સીધા વિઝા સેન્ટરો પર તેમની વિઝા અરજીઓ સબમિટ કરી શકે છે.

ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે ભારત-ચીન આર્થિક અને વેપાર સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો છે. “ચીન-ભારત આર્થિક અને વેપાર સંબંધો પૂરકતા અને પરસ્પર લાભ પર આધારિત છે. જિંગે કહ્યું કે યુએસ દ્વારા ટેરિફના દુરુપયોગનો સામનો કરી રહ્યા છીએ. બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ સાથે ઊભા રહેવું જોઈએ.” યુ જિંગે એમ પણ કહ્યું કે ટેરિફ યુદ્ધમાં કોઈ વિજેતા નથી.

હવે, ચીનના વિઝા ઘણા ઓછા દરે મેળવી શકાય છે, જેનાથી ભારતીય મુલાકાતીઓ માટે મુસાફરી વધુ સસ્તી બની છે. ટૂંકા ગાળા માટે ચીનની મુલાકાત લેતા પ્રવાસીઓને બાયોમેટ્રિક ડેટા પ્રદાન કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે, જેનાથી પ્રક્રિયા સમય ઓછો થાય છે. ચીન ભારતીય પ્રવાસીઓ માટે મુસાફરીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. આ પ્રક્રિયામાં, ચીન તેના સાંસ્કૃતિક આકર્ષણો, જેમ કે તહેવારો અને સ્થળો વિશે પણ માહિતી પ્રદાન કરી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર