મણિપુરની રાજધાની ઈમ્ફાલમા હિંસા ફાટી નીકળી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી છે.જેમા પરિસ્થિતિને જોતા શહેરમા ફરી કર્ફ્યુ લાદવામા આવ્યો છે અને સેનાને પરત બોલાવવામા આવી છે.રાજ્યની રાજધાની ઇમ્ફાલના ન્યૂ ચાકોન વિસ્તારમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે બપોરે ઝઘડો થયો હતો.ત્યારે એક જગ્યાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી,જેણે થોડીવારમાં ભયંકર વળાંક લીધો હતો.જેના કારણે વિસ્તારમા આગચંપી શરૂ થઈ ગઈ હતી.આ મહિનાની શરૂઆતમાં, આદિવાસીઓએ અનુસૂચિત જનજાતિના દરજ્જાની તેમની માંગનો વિરોધ કરવા માટે 3 મેના રોજ એકતા કૂચ કર્યા પછી પહાડી રાજ્યમાં અથડામણો ફાટી નીકળી હતી. આમ એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલેલી હિંસામા 70થી વધુ લોકોના મોત થયા હતા.જેમા હિંસા પ્રભાવિત વિસ્તારોમાં દુષ્કર્મીઓ દ્વારા કરોડોની સરકારી સંપત્તિને આગ લગાવી દેવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.