![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/તેલંગાણા-સરકારે-રાજ્યમાં-hed.jpg)
તેલંગાણા સરકારે રાજ્યમાં તમાકુ અને નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ
તેલંગાણા સરકારે રાજ્યમાં તમાકુ અને નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. મતલબ કે હવે તેલંગાણામાં ન તો ગુટખા બનાવી શકાશે અને ન તો વેચી શકાશે. આ પ્રતિબંધ 24મે, 2024થી એક વર્ષના સમયગાળા માટે લાદવામાં આવ્યો છે. રાજ્યમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
તેલંગાણામાં ગુટખા પર પ્રતિબંધ: ફૂડ સેફ્ટી કમિશનરના આદેશ મુજબ, આ પ્રતિબંધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ લાગુ કરવામાં આવશે.નોટિફિકેશનમાં જણાવાયું છે કે – ‘જાહેર સ્વાસ્થ્યના હિતમાં, તેલંગણા રાજ્યના ખાદ્ય સુરક્ષા કમિશ્નર, ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મૂકે છે, જેમાં તમાકુ અને નિકોટિનનો સમાવેશ થાય છે. છે. આ ઉત્પાદનો, પાઉચ, પેકેજો, કન્ટેનર અથવા અન્ય કોઈપણ સ્વરૂપમાં પેક કર્યા હોય, 24 મે, 2024 થી સમગ્ર તેલંગાણા રાજ્યમાં એક વર્ષના સમયગાળા માટે પ્રતિબંધિત છે.
ગુટખા અને પાન મસાલાના સેવન સાથે સંકળાયેલા ગંભીર સ્વાસ્થ્ય જોખમોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. ગુટખાથી મોઢાનું કેન્સર, ઓરલ સબમ્યુકોસ ફાઈબ્રોસિસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. આ નિર્ણયનો હેતુ તમાકુ અને નિકોટિન ઉત્પાદનોના વપરાશ પર અંકુશ લાવવાનો છે, જે લોકો માટે સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો કે, આ નવા પ્રતિબંધને કેવી રીતે લાગુ કરવામાં આવશે તે જોવું રહ્યું, કારણ કે અગાઉના પ્રતિબંધને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો.