![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/Rakhewal-366.jpg)
વિશ્વનું સૌથી ઊંચું હિંદુ મંદિર, તેની ટોચ પરથી દેખાશે તાજમહેલ
નવી દિલ્હી, જો કે ઉત્તર પ્રદેશમાં આવેલ તાજમહેલ તેને આખી દુનિયામાં પ્રખ્યાત કરી ચુકયો છે, પરંતુ હવે આ રાજ્યમાં વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં બની રહેલા આ મંદિરનું નામ ચંદ્રોદય વૃંદાવન મંદિર હશે અને તે આગામી દોઢથી બે વર્ષમાં તૈયાર થઈ જવાની આશા છે. આ મંદિરનું નિર્માણ ઈસ્કોન એટલે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
x
તેનો શિલાન્યાસ ૧૬ નવેમ્બર ૨૦૧૪ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યો હતો. મંદિરમાં લગભગ ૧૬૬ માળ હશે, જે દુનિયાના કોઈ મંદિરમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરની આસપાસ ૧૨ કૃત્રિમ જંગલો બનાવવામાં આવશે. તેઓ શ્રીમદ ભાગવત અને અન્ય શાસ્ત્રોમાં વર્ણવેલ ૧૨ વન (દ્વાદશકાનન) અનુસાર બનાવવામાં આવશે. તેમાં સુંદર બગીચા અને સેંકડો જંગલો હશે. આ મંદિર ૭૦ એકરમાં ફેલાયેલું છે, જેમાંથી ૧૨ એકરમાં કાર-પાર્િંકગની સુવિધા હશે, અને હેલિપેડ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત ક્રિષ્ના થીમ પાર્ક પણ હશે અને લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કરવામાં આવશે.
આ મંદિર પરંપરાગત નાગારા સ્થાપત્ય અને આધુનિક સ્થાપત્યને જોડીને બનાવવામાં આવ્યું છે. અંદાજ મુજબ મંદિરના નિર્માણમાં કુલ ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જ્યારે તેના નિર્માણમાં ભારત અને વિદેશની કુલ ૨૫ કંપનીઓ સામેલ થશે. મંદિરના કુલ ૫૧૧ બ્લોક હશે, જેમાંથી નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ચંદ્રોદય મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે. આ મંદિરની ઉંચાઈ લગભગ ૨૧૦ મીટર હશે. જ્યારે સમગ્ર બિલ્ડિંગની ઊંચાઈ ૮૨૮ મીટર હશે. મંદિરથી તાજમહેલનું અંતર લગભગ ૮૦ કિલોમીટર હશે અને તાજમહેલ તેના ઉપરથી ટેલિસ્કોપ દ્વારા સીધો જોઈ શકાશે. મંદિરનો પાયો ૫૫ મીટર છે, જે દુબઈમાં વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાના પાયા કરતા ઉંચો છે. એક અંદાજ મુજબ મંદિરની ઉંચાઈ કુતુબમિનાર કરતા ત્રણ ગણી વધારે છે અને અહીં એક સાથે ૧૦,૦૦૦ ભક્તો એકઠા થઈ શકે છે.