ચંદ્ર પર અપેક્ષા કરતા વધુ બરફ છે, પરંતુ આ સપાટીની નીચે છે, તેને ખોદીને બહાર કાઢી શકાય છે : ઈસરોના અભ્યાસમાં આવ્યું બહાર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઇસરો ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, IIT કાનપુર, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને IIT-ISM ધનબાદના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમાં ખૂબ મોટી વાત જાણવા મળી હતી કે, ચંદ્ર પર આપણી અપેક્ષા કરતા અનેકગણુ પાણી છે. આ પાણી ચંદ્રના બન્ને ધ્રુવો પર છે. ચંદ્ર પર અપેક્ષા કરતા વધુ બરફ છે. પરંતુ આ સપાટીની નીચે છે. તેને ખોદીને બહાર કાઢી શકાય છે. આ સ્ટડી માં કહેવાયુ છે કે, ચંદ્રની સપાટીની 2-4 મીટર નીચે બરફ છે. અગાઉ જે ધારણા હતી આ બરફ તેના કરતા 5થી 8 ગણો વધારે છે. તેને ડ્રિલિંગ કરી કાઢી શકાય છે. એનાથી માણસ ચંદ્ર પર લાંબા સમય સુધી રહી શકે છે.

ઇસરો દ્વારા કરાયેલા ખુલાસામાં કહેવાયુ છે કે, આ પાણી ચંદ્રની સપાટી ખોદીને કાઢી શકાય છે. તે પાણી સપાટીની નીચે છે. આ સ્ટડી ISROની સ્પેસ એપ્લિકેશન સેન્ટર, IIT કાનપુર, જેટ પ્રોપલ્શન લેબોરેટરી, યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કોલિફોર્નિયા, IIT -ISM ધનબાદના વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કરી છે. આ સ્ટડીના કારણે હવે બીજી સ્પેસ એજન્સીઓને ફાયદો થઈ શકે છે. આ સ્ટડીમાં એમ પણ કહેવાયુ છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ કરતા ઉત્તર ધ્રુવ પર ડબલ ગણો બરફ છે. આ બરફના અસ્તિત્વના સવાલ પર ISROએ જણાવ્યુ કે, જ્યારે ચંદ્ર બની રહ્યો હતો ત્યારે ઈમ્બ્રિયન કાળમાં જ્વાળામુખી વિસ્ફોટથી ચંદ્રના ખાડામાં ગેસ ધીરે ધીરે ગેસે બરફના સ્વરુપે જમા થયો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.