![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/કપિલ-સિબ્બલે-સાધ્યું-હેડ.jpg)
ભાજપાનાં ‘400 પાર’ નારા પર કપિલ સિબ્બલે સાધ્યું નિશાન, કહ્યું- આ માત્ર એક મજાક છે.
લોકસભા ચૂંટણી-2024ના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને છઠ્ઠા તબક્કાનું મતદાન આજે (25 મે) થઈ રહ્યું છે. વોટિંગની વચ્ચે રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહારો કર્યા છે અને કહ્યું કે, ‘…તેઓએ (ભાજપ) 400 પારવાળા નારાને મજાક બનાવી દીધું છે. 2019ની ચૂંટણીમાં દલિતો ભાજપ સાથે હતા, પરંતુ આ વખતે ચૂંટણીમાં દલિતો કોંગ્રેસ અથવા સપાને મત આપી રહ્યા છે.
કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે, ‘…પાંચમા અને છઠ્ઠા તબક્કામાં ઘણા ફેરફારો થયા છે, જે ગતિ પાંચમા અને છઠ્ઠા તબક્કામાં છે તે સાતમા તબક્કામાં નહીં હોય. શરૂઆતના તબક્કામાં લોકો રામ મંદિર વિશે નહીં પરંતુ મોંઘવારી, બેરોજગારી અને સ્થાનિક સ્તરને અસર કરતી અન્ય સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છે.
દિલ્હીમાં ભાજપને થશે મોટું નુકસાન: તેમણે કહ્યું કે પાંચમા અને છઠ્ઠા તબક્કામાં ઘણા ફેરફારો જોવા મળ્યા હતા અને છેલ્લા તબક્કામાં પણ આ જ ફેરફાર જોવા મળશે. પરિણામો આવ્યા બાદ ખબર પડશે કે આ તબક્કામાં ભાજપને કેટલું નુકસાન થશે. જો મુસલમાન અને ઓબીસીના સમીકરણની વાત કરીએ તો એસસી, એસટી અને યાદવોની રચના થઈ છે, તેનાથી તેમને (ભાજપ)ને નુકસાન થશે. ભાજપના લોકોએ 400 પાર કરવાના સૂત્રને બહુ ગંભીરતાથી ન લેવું જોઈએ.
છઠ્ઠા તબક્કામાં વોટીંગની ગતિમાં તેજી: તમને જણાવી દઈએ કે છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં દિલ્હીની તમામ સાત બેઠકો, બિહારની 8 બેઠકો, ઝારખંડની ચાર બેઠકો, ઓડિશાની છ બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, ઉત્તર પ્રદેશની 14 બેઠકો અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કામાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, આ સીટ પર પણ આજે મતદાન થઈ રહ્યું છે.