![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/mamta.png)
CM કેજરીવાલનાં જામીનથી લઈને ન્યાયપાલિકા પર મમતા બેનર્જીની ટીપ્પણી સુધી, જાણો શું શું બોલ્યા PM મોદી
દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં છે. સાતમા તબક્કાનું મતદાન 1 જૂને પૂર્ણ થશે જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. ચૂંટણીના પરિણામોની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. મંગળવારે (28 મે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી ANIને ઈન્ટરવ્યુ આપતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીનથી લઈને પશ્ચિમ બંગાળની રાજનીતિ સુધીની દરેક બાબત પર ચર્ચા કરી. આ સિવાય તેમણે ઓડિશાની વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. ચાલો જાણીએ પીએમ મોદીની તે 10 મોટી વાતો જે તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન ચર્ચા કરી હતી.
પશ્ચિમ બંગાળમાં થઇ રહ્યો છે ન્યાયતંત્રનો દુરુપયોગ
મમતા બેનર્જી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે બંગાળ સરકાર વોટ બેંકની રાજનીતિ માટે ન્યાયતંત્રનો પણ દુરુપયોગ કરી રહી છે. આ સ્થિતિ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન હોઈ શકે.
ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેઓ 24 વર્ષ સુધી ગાળો ખાઈ ખાઈને ગાળો પ્રૂફ બની ગયા છે. આગળ તેમણે કહ્યું, ‘કોણે કહ્યું કે મૃત્યુનો વેપારી અને ગંદા નાળામાં કીડો કોને કહ્યું હતું?’ સંસદમાં અમારા એક સાથીદારે 101 અપશબ્દોની ગણતરી કરી હતી, તેથી ચૂંટણી હોય કે ન હોય, આ લોકો (વિરોધી) માને છે કે ગાળો આપવાનો અધિકાર તેમનો જ છે અને તેઓ એવા હતાશ થઈ ગયા છે કે તેઓ અપશબ્દો બોલવા તેમનો સ્વાભાવ બની ગયો છે.
પશ્ચિમ બંગાળ ભારતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય હશે
ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ટીએમસી બંગાળની ચૂંટણીમાં અસ્તિત્વ માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અમે 3 હતા અને બંગાળના લોકો અમને 80 પર લઈ ગયા. છેલ્લી ચૂંટણીમાં અમને જંગી બહુમતી મળી હતી. આ વખતે સમગ્ર ભારતમાં જો કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય હોય તો તે પશ્ચિમ બંગાળ છે.