![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/fatakada.png)
શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 8ના મોત, 12 ઘાયલ; પીએમએ દુઃખ વ્યક્ત કર્યું
તમિલનાડુના શિવકાશી નજીક વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં પાંચ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા છે, અને 12 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ગુરુવારે થયો હતો. પીએમ મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, “શિવાકાશીમાં ફેક્ટરીમાં થયેલા અકસ્માતને કારણે જાનમાલના નુકસાનથી દુઃખી છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય.
વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળી રહ્યા છે
હાલ આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. તમિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કેકેએસએસઆર રામચંદ્રને સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી અને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. મંત્રીએ ઘાયલોની તબિયત વિશે તબીબોને પૂછ્યું છે. વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં મૃત્યુ પામેલા 8 લોકોમાં પાંચ મહિલાઓ પણ સામેલ છે.