![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/મોત.png)
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, 150 ફૂટની ખાઈમાં બસ ખાબકતા 15 શ્રદ્ધાળુનાં મોત
જમ્મુ-કાશ્મીરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડી છે. આ દુર્ઘટનામાં 15 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. બાકીના લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ઉત્તર પ્રદેશ રોડવેઝની બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જે શિવ ખોરી મંદિર જઈ રહી હતી.
નેશનલ હાઈવે પર કાલીધર મંદિર પાસે આ અકસ્માત થયો હતો. બસને ખાડામાં પડતા જોઈ લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતની માહિતી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અખનૂર તારિક અહેમદ મોકેને આપવામાં આવી હતી. લોકો અને પોલીસે મળીને ઘાયલોને ચોકી ચૌરા અને અખનૂર હોસ્પિટલમાં દાખલ કર્યા છે.