554મી ગુરુનાનક જયંતિની દેશભરમાં ઉજવણી, રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

  • 554મી ગુરુનાનક જયંતિની દેશભરમાં ઉજવણી
  • રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા

ભારતની સાથે વિશ્વભરમાં ગુરુનાનક જયંતિની ઉજવણી થઈ રહી છે. ગુરુ નાનક સાહેબની જન્મ જયંતિને લઇને રાજકીય દિગ્ગજોએ શુભકામના પાઠવી હતી. ભારત અને વિશ્વભરમાં રહેતાં ભારતીયોને ખાસ કરીને શીખ ભાઈઓ અને બહેનોને રાષ્ટ્ર પતિ દ્રોપદી મુર્મુએ ગુરુ નાનક જયંતિની શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છા પાઠવતા લખ્યું કે ગુરુ નાનક દેવજી માનતા હતા કે માનવતાની સેવા એ ભગવાનની સેવા છે અને તેમણે લોકોને પ્રેમ, શાંતિ અને કરુણાના મૂલ્યોનું પાલન કરવાની પ્રેરણા આપી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યુ કે ગુરુ નાનક દેવજીએ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો અને લોકોને શબ્દ દ્વારા આધ્યાત્મિકતાનો માર્ગ બતાવ્યો. રાષ્ટ્રપતિએ લોકોને ગુરુ નાનક દેવજીના ઉપદેશોનું પાલન કરવા અને સમાનતા, ભાઈચારો અને સંવાદિતા માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.