![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/બ્રાહ્મણવાડા-ચેક-પોસ્ટ-પર-હેડ.jpg)
બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર લોકસભાની ચૂંટણીને લઈ વાહન ચેકીંગ હાથ ધરાયું
આગામી લોકસભાની ચૂંટણીને લઇ આદર્શ આચારસંહિતાના અમલી કરણ માટે જિલ્લા પોલીસ દ્વારા ૯ ચેક પોસ્ટ શરૂ કરાઈ છે. જેમાં આજે સાંજે ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણની ઉપસ્થતિમાં પોલીસ દ્વારા આવતાં જતાં વાહનોનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં ૯ ચેકપોસ્ટ શરૂ કરાઈ છે. આ ૯ ચેક પોસ્ટો નેશનલ હાઇવે તેમજ આંતરિયાળ રસ્તાઓ પર શરૂ કરાઇ છે. જેમાં નાર્કોટિક્સ, પ્રોહિબેશન, ગેરકાયદેસર પૈસાની હેરાફેરીની ખાસ તકેદારી રાખવામાં આવે છે. કોઈ પણ ગુનાહિત કૃત્ય કરતા માણસો રાજ્યમાં આવે નહી અને રાજ્ય બહાર જાય નહી. આજે ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર વાહનોનું ચેકીંગ હાથ ધરાયું છે.