સુરતમાં માથાભારે શખ્સ સૂર્યા મરાઠી સહિત તેના એક સમયના સાગરીતની તલવાર-ચપ્પુના ઘા ઝીંકી હત્યા

ગુજરાત
ગુજરાત

સુરતઃ વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી( સુરેશ શ્રીરામભાઈ પવાર) ની ઓફિસમાં આજે સાતેક જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા. તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નિપજ્યાં હતાં. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.
 
પોલીસના ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠી વચ્ચે કંઈક બાબતે ઝઘડો સર્જાયો હોય શકે અને બાદમાં સામ સામે હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુના ઘાથી એકબીજાના મોત નીપજ્યાં હતાં. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ આદરી છે. આ હુમલામાં અન્ય લોકો પણ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
 
પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એક સમયના બન્ને મિત્રો સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ બાબતે વાત વણસી હતી અને તેમાં બન્નેએ સામ સામે હુમલો કર્યો હતો. બન્નેના સારવાર દરમિયાન મોત થયાં હતાં. હાલ બનાવના સ્થળે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ કોઈ ગેંગવોર નહી પરંતુ બે લોકો વચ્ચેનો ઝઘડો હતો. હાલ પરિસ્થિતી કાબૂમાં છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતો અને ઓફિસ ધરાવતો સૂર્યા મરાઠી ગેંગવોરને લઈને ચર્ચામાં આવતો રહેતો હતો. માથાભારે મનુ ડાહ્યા ગેંગ સાથે અથડામણને લઈને ઘણી વાર જાહેરમાં બનાવો પણ બન્યા હતા. દરમિયાન મનુ ડાહ્યાની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં સૂર્યા મરાઠીને આરોપી બનાવવામાં આવ્યો હતો. જોકે, થોડા દિવસો પહેલાં સૂર્યા મરાઠીને મનુ ડાહ્યા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યાના પાંચ દિવસમાં આજે વેડરોડ ખાતે આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠી હાજર હતો. દરમિયાન સાત જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા અને તલવાર-ચપ્પુથી હુમલો કરી દીધો હતો. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નિપજ્યાં હતાં. ત્યારબાદ સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સૂર્યા મરાઠીના શરીર પર ૩૦ ઘા અને હાર્દિકના શરીર બે ઘા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
 
સૂર્યા મરાઠી પર હુમલાની આશંકા જેના પર સેવાઈ રહી છે તે હાર્દિક પટેલનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. માથાભારે સૂર્યા મરાઠીનો હાર્દિક એક વખતે જમણો હાથ ગણાતો હતો. પરંતુ બાદમાં બન્ને વચ્ચે અણબનાવને લઈને બન્ને જુદા થઈ ગયા હતાં. ત્યારે આજે સૂર્યા અને બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ એકબીજાએ બન્નેને માર્યા અથવા તો અન્ય કોઈ શખ્સો આવીને બન્નેનું ઢીમ ઢાળીને જતાં રહ્યાં તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
તા. ૧૭મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ કતારગામ ખાતે મનુ ડાહ્યા જ્યારે દાઢી કરાવવા ગયા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરાઇ હતી. નોંધાયેલી ફરિયાદમાં સૂર્યા મરાઠી સહિતના સાત આરોપીઓના નામ હતા. સૂર્યા મરાઠી, પરેશ લીંબાચિયા, જયેશ પોલ, વિકાસ મગારે, જયેશ સોસા, અક્ષય દેવરે અને અમોલ ઝીનેની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ ૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો હતો. જેથી પાંચ દિવસ પહેલાં જ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો.
 
હુમલાખોરો સૂર્યા મરાઠીની ઓફિસમાં ગયા ચપ્પુ અને તલવાર જેવા તિક્ષ્ણ હથિયારો સાથે પ્રવેશ્યા તે સમગ્ર સીસીટીવી સામે આવ્યાં છે. સાતેક હુમલાખોરો ઓફિસમાં આવ્યા ત્યારે સૂર્યાના માણસો ખુરશીમાં આરામ ફરમાવતાં હોય તે રીતે બેસી રહ્યાં હોવાનું સીસીટીવીમાં સામે આવી રહ્યું છે. સુત્રોના મતે આ હુમલો પૂર્વાયોજીત હતો અને તેમાં સૂર્યા મરાઠીના માણસોએ દગો કર્યો અથવા તો સામેલ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
મનુ ડાહ્યા હત્યા કેસમાં પાંચ દિવસ અગાઉ પુરવાના અભાવે શંકાનો લાભ લઈને નિર્દોષ છૂટેલા સૂર્યા મરાઠીના જેલમાંથી બહાર આવ્યાના ત્રણેક દિવસમાં જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે કે, સૂર્યા મરાઠી જેલમાંથી મુક્ત થયો ત્યારથી તેના પર રેકી કરવામાં આવી હતી અને આજે આખરે તેની પ્લાન પૂર્વક હત્યા કરવામાં આવી છે.
 
મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરીના વતની સૂર્યા
આભાર – નિહારીકા રવિયા  મરાઠીએ સુરતમાં માથાભારે શખ્સની છાપ ઉભી કરી હતી. કથિત રીતે ગેંગ ચલાવતો સૂર્યા મરાઠી અવારનવાર હત્યાથી લઈને ખંડણી સહિતના કામો કરતો હતો. રાજે ગ્રુપના સ્થાપક સૂર્યા મરાઠી દ્વારા ગણેશોત્સવના આયોજનો પણ કરવામાં આવતાં હતાં. માથાભારે સૂર્યા મરાઠીની હત્યાના પગલે બે દીકરીઓ અને એક દીકરા સહિત પત્ની અને વતનમાં રહેતા સૂર્યાના માતા પિતા નોધારા થઈ ગયાં છે.
 
વેડ રોડ પર ત્રિભુવન સોસાયટીના નાકે ઓમ સાંઈ પાર્ક નામની ઓફિસ ધરાવતાં સૂર્યા મરાઠીની તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી હતી. હાર્દિક અને સૂર્યાની હત્યાની જાણ આસપાસના વિસ્તારમાં થતાં દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.
સૂર્યાની હત્યા બાદ રસ્તા પરથી એક ચપ્પુ મળી આવ્યું હતું. પોલીસે ચપ્પુ કબ્જે લઈને તેના પરથી નીશાન મેળવીને તેને પુરાવા તરીકે રાખીને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.