
રાજ્યમાં ૧૬ નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ ૧૪૪ થયા, તબલીઘમાંથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધ્યાઃ જયંતિ રવિ
અમદવાદ. રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના ૧૫ જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. તબલીઘમાંથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ૧૪૪ કેસ થયા છે. અમદાવાદમાં ૧૧ નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ ૧૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૧ દર્દીઓના મૃત્યુ થયા છે તો ૨૧ દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ ૧૪૪ પોઝિટિવ કેસમાંથી ૮૫ જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે.
સૌથી વધુ કેસ અમદાવાદમાં રાજ્યના કુલ ૧૪૪ પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકડાઓ જોઇએ તો અમદાવાદમાં ૬૪ પોઝિટિવ અને ૫ના મોત, સુરતમાં ૧૭ પોઝિટિવ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ પોઝિટિવ, ભાવનગરમાં ૧૩ પોઝિટિવ અને ૨ના મોત, વડોદરામાં ૧૦ પોઝિટિવ અને ૧નું મોત, રાજકોટમાં ૧૦ પોઝિટિવ કેસ, પોરબંદરમાં ૩ પોઝિટિવ, ગીર સોમનાથમાં ૨ પોઝિટિવ, કચ્છમાં ૨ પોઝિટિવ, મહેસાણામાં ૨ પોઝિટિવ, પાટણમાં ૨ પોઝિટિવ, પંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત, છોટાઉદેપુર અને જામનગરમાં ૧-૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.