![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/45-2.jpg)
ભીલડી-પાટણ રેલ્વે લાઈન પર સતત બીજા દિવસે વંદે ભારત ટ્રેન દોડી
અમદાવાદ-મહેસાણા-પાલનપુર ચાલતી અનેક ટ્રેનો ભાડું નજીક ચાલતી રેલવેની કામગીરીને લઈ વાયા પાટણ ભીલડી ડીસા થી પાલનપુર ચલાવવામાં આવી રહી છે જેમાં અમદાવાદ થી જોધપુર શરૂ થયેલી વંદે ભારત ટ્રેન ને પણ વાયા પાટણ ભીલડી થઈ પાલનપુર થઇ જોધપુર માટે ડાયવર્ટ કરવામાં આવી છે ત્યારે સાંજના સમયે ભીલડી રેલવે સ્ટેશન પર આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનને જોવા લોકોમાં ભારે ઉત્સુકતા જાગી હતી સતત બીજા દિવસે વંદે ભારત ટ્રેન આવતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા.
આ ઉપરાંત આ ટ્રેક પર આવતા લોરવાડા સહિતના રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન જોવા પહોંચી ગયા હતા આ અગે ભીલડી રેલવે સ્ટેશન માસ્ટરના જણાવ્યા પ્રમાણે મહેસાણા નજીક રેલવે લાઇન ઉપર ટ્રેકનું કામકાજ ચાલતું હોવાથી કેટલીક ટ્રેનો ત્રણ દિવસ માટે વાયા પાટણ ભીલડી થઈ પાલનપુર સુધી દોડાવવાનો રેલ્વે વિભાગ નિર્ણય કર્યો છે જેમાં વંદે ભારત ટ્રેન સહિત રાજધાની એક્સપ્રેસ જમ્મુ તાવી એક્સપ્રેસ ગરીબ રથ સહિત કેટલીક ટ્રેનો ને આ રૂઢ પણ ત્રણ દિવસ માટે ડ્રાકરવામાં આવ્યું છે