ચેક રિટર્ન કેસમાં થરાદના આરોપીને વડગામ કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા ફટકારી

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ કોર્ટમાં રૂ.1.40 લાખના ચેક રીટર્ન કેસમાં ભરતકુમાર ગણેશભાઈ ચૌધરી (રહે.છાપી) એ દિલીપભાઈ પ્રહલાદભાઈ પંડ્યા (રહે.ઘોડાસર, તા.થરાદ) સામે વડગામ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ભરતકુમાર ગણેશભાઈ ચૌધરીના વકીલ વિનયસિંહ જે. વાઘેલા અને ભરતસિંહ કે.વિહોલ દ્વારા પુરાવા અને દલીલોના આધારે આ ચેક રીટર્ન કેસના આરોપીને કોર્ટમાં તકસીરવાન ફેરવી આરોપી દિલીપભાઈ પ્રહલાદભાઈ પંડ્યાને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને ભરતકુમાર ચૌધરીને પૂરેપૂરી રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો અને વળતરની રકમ 30 દિવસમાં કોર્ટમાં જમા ન કરાવે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.