![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/પત્નિ-સાથે-મનમેળ-ન-આવતા-hed.jpg)
પત્નિ સાથે મનમેળ ન આવતા યુવકે ગળે ટૂંપો ખાઈ કરી આત્મહત્યા
બનાસકાંઠા ના લાખનાસર ગામે રહેતાં રાહુલભાઇ તેજાભાઇ બારોટ ઉ.વ.વર્ષ આશરે 28 એ પોતાની પત્ની પાયલબેન સાથે મનમેળ ન હોય અને તેમની પત્ની પાયલબેન ગતરોજ પોતાના પિયર થી સાસરે આવતાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર ગામ મા અરેરાટી વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી મુજબ લાખનાસર ગામમા આવતાં રોડ પર આવેલા નાળા ની ઊપર આવેલ પ્રોટેક્શન પાઈપે દોરડું બાંધી ગળે ટૂંપો ખાધેલી હાલતમાં જોવા મળતા ની જાણ પરિવાર જનો ને થતાં તાત્કાલિક પરિવાર જનો ધટના સ્થળે દોડી જઈ પાંથાવાડા પોલીસ ને જાણ કરતાં પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ લાશ ને પી એમ અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પાંથાવાડા ખસેડી એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.