![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/વાવમાં-ઝુંપડીપટ્ટી-વિસ્તારમાં-HED.jpg)
વાવમાં ઝુંપડીપટ્ટી વિસ્તારમાં જરુરતમંદોને દાતા દ્વારા ત્રાડપત્રી વિતરણ કરવામાં આવી
વાવના ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારોને ખરડોલ ગામના સેવાભાવી દાતા દ્વારા 75 જેટલી ત્રાડપત્રી વિતરણ કરવામાં આવી છે. આગામી વરસાદને ધ્યાને લઈ ત્રાડપત્રી વિતરણ કરતા લોકો એ આભાર માન્યો હતો મામલતદાર આરોગ્ય અધિકારી સેવાભાવી કાર્યકર્તાઓ સહિત હાજર રહ્યા હતા.
ખરડોલ ગામનાં સેવાભાવી દાતા નયનભાઈ જોષી અને દિનેશભાઈ આચાર્ય દ્રારા વાવ ખાતે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા વિચરતી વિમુક્ત જાતિ વિસ્તારમાં કાળઝાળ ગરમી અને આગામી વરસાદની ઋતુને ધ્યાનમાં રાખીને 75 જેટલા ઘરોમાં ત્રાડપત્રી વિતરણ કરવામાં આવ્યું હતું વાવ મામલતદાર,તાલુકા આરોગ્ય અધિકારી વાવ અને સેવાભાવી સામાજિક કાર્યકર રાણાજી વેંઝિયા અને બાલકૃષ્ણ જોષી સહીત આગેવાનો હાજર રહ્યાં હતા.