![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/વાવ-તાલુકાના-સરહદી-02.jpg)
વાવના મીઠાવીચારણથી તખતપુરા સુધી ખાડાઓનું સામ્રાજ્યથી જનતા પરેશાન
વાવ તાલુકાના સરહદી સીમાડે આવેલા મીઠાવીચારણથી તખ્તપુરા સુધીના સિંગલ પટીના ૩ કીમીના અંતર સુધીમાં ૧૦ થી વધુ ખાડાઓનું સામ્રાજ્ય વધી ગયું છે. જેથી કરીને વાહનચાલકો અને આમ જનતા પરેશાનીઓ ભોગવી રહી છે. ત્યારે સત્વરે આ રોડને રીપેર અથવા નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ સિવાય વધુમાં બીમાર લોકો માટે ૧૦૮ વાનને આવવામાં પણ તકલીફો ભોગવવી પડી રહી છે.