અમીરગઢ તાલુકાના જેથી ગામે બાર જેટલા પશુઓના અચાનક જ મોત પશુપાલકના માથે આભ ફાટી પડ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પશુપાલકના બાર જેટલા પશુઓના અચાનક જ મોત: અમીરગઢ તાલુકાના જેથી ગામે એક પશુપાલકના બાર જેટલા પશુઓના અચાનક જ મોત થયા હતી. પશુઓ ટપોટપ મોતને ભેટતાં પશુપાલક ઉપર આભ ફાટ્યું છે. પશુપાલને તંત્રને જાણકરતા પશુપાલન વિભાગ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી પશુઓના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના જેથી ગામના: પશુપાલક ને બાર જેટલા પશુઓના મોત નીપજ્યા છે જેમાં 11 ગાયો સહીત એક બળદ નું મોત નીપજ્યું હતું. પશુપાલકના બાર જેટલા પશુઓ એકી સાથે ટપોટપ મરતા પશુપાલકના માથે આભ ફાટી પડ્યું હતું. પશુપાલકે તંત્રને જાણ કરતા પશુપાલન વિભાગ તત્કાલિક જેથી મુકામે પહોંચી પશુના મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી જોકે હાલ તો અનુમાન છે કે પશુઓના મોત ઘાસચારો ખાવાથી થયા છે પરંતુ સાચી હકીકત પીએમ કર્યા બાદ જ જાણવા મળશે જેથી ગામના પશુપાલક ને લાખોની કિંમતના પશુઓના મોત થતાં પશુપાલક મુશ્કેલીમાં મુકાયો છે અને સરકાર પાસે સહાયની પશુપાલક માંગ કરી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.