ડીસા થી 1 મેના રોજ એરોડ્રામ મેદાન ખાતે વડાપ્રધાન લોકસભા બેઠકની જાહેર સભા સંબોધશે

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે. ડીસા એરોડ્રામ મેદાન ખાતે મોદી બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકની જાહેર સભા સંબોધશે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ થઈ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં જાહેર સભાઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ગુજરાત પ્રચારનો શ્રી ગણેશ બનાસકાંઠાના ડીસાથી કરવાના છે ડીસા એરોડ્રામ મેદાન ખાતે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ 1 મેના રોજ સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન જાહેર સભા સંબોધશે. જેમાં બનાસકાંઠા અને પાટણ લોકસભા વિસ્તારમાં આવતી ખેરાલુ સિવાયની વિધાનસભા મત ક્ષેત્રના લોકોને મોદી સંબોધન કરશે. જ્યારે ખેરાલુ વિધાનસભા મત ક્ષેત્રનો સમાવેશ સાબરકાંઠાની જાહેર સભામાં કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.